શ્રદ્ધા..
એક વાર એક નગરના રાજાએ પોતાનું રાજપાટ છોડીને મોક્ષ મેળવવા માટે જંગલ તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં એક નદી આવી, નદી કિનારે તેમને એક સંત મળ્યા.
રાજાએ સંતને પૂછ્યું -”હે સંત! આપણે ભવસાગર પાર કરવો હોય કે મોક્ષ મેળવવો હોય તો ક્યાં ભગવાનને ભજવાનું?”
સંતે કહ્યું-”હું તારા સવાલનો જવાબ આપીશ, પણ એ પેહલા તું મને નદી પાર કરાવી દે.” નદી કિનારે ઘણી હોડીઓ હતી સંતે રાજાને એક હોડી તરફ ઈશારો કરીને તેમાં બેસવા કહ્યું પણ રાજાએ નાં પાડી. એમ કરતા કરતા રાજા એ ૧૦ હોડી માટે ના પાડી.
પછી સંતે રાજાને પૂછ્યું-”હે રાજન! આમાંથી કઈ હોડી એવી છે કે જે નદી પાર કરાવી શકે?”
રાજા એ કહ્યું-”નદી પાર તો બધી જ હોડી કરાવી શકે.” પછી સંતે કહ્યું-”આ જ તારા સવાલનો જવાબ છે. ભગવાનના નામ અલગ છે પણ બધા ભગવાન એક જ છે એટલે કોઈ પણ એક ભગવાનને સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી ભજવાથી ભવસાગર પાર થવાય ને મોક્ષ મેળવાય”
સાર- સંતના ઉપદેશથી રાજાને સાચું જ્ઞાન મળે છે.ભગવાન તો એક જ છે બસ આપણામાં સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ …….
મુકતા મેઘા
અનુભવ….
નિર્ણય લેવાની શક્તિ અનુભવમાંથી આવે છે, પરંતુ સાચા અનુભવ ખોટા નિર્ણયમાંથી આવે છે.

સલાહ
કોઈની સલાહ પ્રમાણે ચાલવામાં જેટલું જોખમ છે એટલું જ જોખમ સલાહ આપવામાં છે.

વર્તમાન…
ભૂતકાળ ને ભૂલી જવો…વર્તમાન માં સારું જીવન જીવવું અને ભવિષ્ય ની ચિંતા છોડી દેવી તો જીવન ની ખુશી તમારા હાથ માં જ છે…!

શબ્દ…
શબ્દ માં સ્પર્શ હોઓત તો બોલ્યા કરત …..
તસ્વીર ને બદલે તું હોઓત તો વાતો કરત….
જો ઝાંકળ માં બને પ્રતિબિંબ …….
તો થોડો સમય સ્થિર રહી જોયા કરત…..

જીવન….
માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે. હિમાલયના શિખર પર નહિ.
–
ગાંધીજી

સંબંધ
પતિને ખુશ રાખવા પત્નીએ પતિને બરાબર સમજવો અને થોડો પ્રેમ કરવો. પત્નીને પતિએ ખુશ રાખવા બહુ બધો પ્રેમ કરવો પરંતુ એને સમજવાની બિલકુલ કોશિશ ન કરવી
– ગુલનાર બમ્મનજી

જ્ઞાની
સાચો અને જ્ઞાની માણસ દુ:ખ આવે ત્યારે એ કોઈનો વાંક નથી કાઢતો, બલકે, એ દુ:ખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે.
– સ્વામી વિવેકાનંદ

ખુશી…
જીવન માં તમારે ખુશ રહેવું હોય તો , “ખુશી ” ને જીવન નું લક્ષ્ય બનાવો ના કોઈ માણસ કે વસ્તુ ને .
–
આલ્બર્ટ આઇન્સ્ટાઇન

No comments:
Post a Comment