Friday, 24 August 2012

અભિમાન

ચરિત્ર

કોઈ એક ઊંચા આસન પર બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી। ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તેથી તે ગરુડ કહેવાય નહીં.


                 ****************************

શબ્દો ના તીર


શબ્દોના તીર ચાલતા હોઈ અને તે લાગી જાય તો સમજવું  અભિમાન ની હાજરી છે.


                 ***************************

ભગવાન જ…


આપની જિંદગી માં ભગવાન જ આપને મુશ્કેલી માં મુકે અને ભગવાન જ મુશ્કેલી માંથી બહાર કાઢે કેમ? કારણ કે માનસ પોતાની જાત ને ક્યારેય ભગવાન ના સમજી શકે એટલે .

                 **************************

અભિમાન…

દુખ માં માણસે એ વિચારી ને ખુશ થવું જોઈએ કે ….
આ સમય પણ વીતી જશે

અને જો કોઈ વ્યક્તિ પોતાની સ્થિતિ , ધન અને ઉપલબ્ધિઓ પર બહુ અભિમાન કરતો હોય તો એને બહુ પ્રેમ થી કહેવું કે ભાઈ શાંતિ રાખ …..
આ સમય પણ વીતી જશે

                ***************************

અભિમાની

અભિમાની માણસ તેના અભિમાન થી જ નષ્ઠ થાય છે

                ***************************

અજ્ઞાની વ્યક્તિને ખુશ…

અજ્ઞાની વ્યક્તિને ખુશ કરવો સરળ છે. વિદ્ધાન વ્યક્તિને પ્રસન્ન કરવો તેથી પણ સરળ છે પણ જે માણસમાં જ્ઞાન ન હોવા છતાં અહંકાર ભરેલો હોય તેને પ્રસન્ન કરવો બ્રહ્મા માટે પણ અસંભવ છે.

               ***************************

જે વ્યક્તિ જતું કરવાની…

જે વ્યક્તિ જતું કરવાની ભાવના રાખે છે તેનું કોઈ દિવસ કઈ જતું નથી.
અને જે વ્યક્તિ ક્યારેય જતું ના કરે તેનું ક્યારેય કઈ બચતું નથી..

              ****************************

કોઈ ની મદદ કરવા …

કોઈ ની મદદ કરવા જ્યારે હાથ લંબાવો ત્યારે ઍના ચહેરા સામે ના જોવુ, કેમ કે મજબૂર માણસ ની આંખ મા ઉગેલી શરમ આપણા દિલ મા અભિમાન નુ બીજ વાવે છે……!!

             *****************************

ભગવાન કહે …


ભગવાન  કહે  માણસ ને ,
જો  તું  એમ  કહે  કે  આ  મારું , આ  મારું ,
તો  હું  તને  ’મારું’(મારવું)
પણ  જો  એક  વાર  તું  દિલ  થી  કોઈને  કહી  દે
જા, આ  તારું
તો  હું  તને  ”તારું” (જીવનનો ઉદ્ધાર કરવો)

             **************************

વસ્તુઓનો નાશ…

ધડપણ રૂપનો, આશા ધીરજનો, મૃત્યુ પ્રાણીનો, ઈર્ષા ધર્મના આચરણનો, ગુસ્સો લક્ષ્મીનો, ખરાબ માણસોની સેવા ચારિત્રનો, કામ શરમનો અને અભિમાન બધી જ વસ્તુઓનો નાશ કરે છે.

            **************************

બધી જ મહાન ભૂલોના…


બધી જ મહાન ભૂલોના પાયામાં અહંકાર હોય છે. તમારો અહંકાર બીજાને કદાચ ડંખે , પણ તમારું તો પતન જ કરે.

          ****************************
કોઈ પણ હાલતમાં પોતાની…


કોઈ પણ હાલતમાં પોતાની શક્તિ પર અભિમાન ન કરવું જોઈએ, કારણ કે બહુરૂપી આકાશ હર ક્ષણે હજારો રંગ બદલે છે.

          ************************

અભિમાનની માણસને…


અભિમાનની માણસને કદી સાચા મિત્રો હોતા નથી. જયારે તેઓ તવંગર હોય છે, ત્યારે તેઓ કોઈને ઓળખતા નથી અને જયારે તેઓ વિપતિમાં , ત્યારે તેમને કોઈ ઓળખતું નથી.

         ************************

અભિમાનના આઠ પ્રકાર છે…


અભિમાનના આઠ પ્રકાર છેઃ

૧ સત્તાનું અભિમાન,
૨ સંપત્તિનું અભિમાન,
૩ બળનું અભિમાન,
૪ રુપનું અભિમાન,
૫કૂળનું અભિમાન,
૬ વિદ્વતાનું અભિમાન,
૭ કર્તવ્યનું અભિમાન.

પણ “મને અભિમાન નથી” એવો દાવો કરવો એના જેવું ભયંકર અભિમાન બીજું એકે ય નથી

       **************************


















No comments:

Post a Comment