Friday, 24 August 2012

વિશ્વાસ એવું પક્ષી છે

“નેટવર્ક” વગર ના …


“વિશ્વાસ” વગર નો “સંબંધ” “નેટવર્ક” વગર ના “મોબાઈલ” જેવો છે. કારણ કે “નેટવર્ક” વગર ના “મોબાઈલ” માં લોકો “ગેમ” રમવા માંડે છે.


                       ***************************

કોઈ વ્યક્તિના કહેવાથી કે કોઈ…


કોઈ વ્યક્તિના કહેવાથી કે કોઈ વિપત્તિ આવવાથી પોતાનો આત્મવિશ્વાસ ડગમગવા ન દો.
કદાચ આપ આપની સંપત્તિ, પોતાનું સ્વાસ્થ્ય, પોતાનો યશ અને
અન્ય લોકોનું સન્માન ગુમાવી દેશો, પરંતુ જ્યાં સુધી આપ પોતાની શ્રદ્ધા કાયમ રાખશો
ત્યાં સુધી આપને માટે આશા છે. જો આત્મશ્રદ્ધા કાયમ રાખશો અને આગળ
વધતા રહેશો તો વહેલા કે મોડા સંસાર આપને રસ્તો આપી દેશે.

                      ***************************

વિશ્વાસ…


જયારે દીવાલ માં તિરાડ પડે છે ત્યારે દીવાલો પડી જાય છે, પણ જયારે સંબંધ માં તિરાડ પડે છે ત્યારે દીવાલો બની જાય છે,

                     ***************************

વિશ્વાસ

જીવન માં કોઈ પણ વ્યક્તિ નો વિશ્વાસ તોડવો નહિ કારણ કે વિશ્વાસ એક જ વખત તૂટે છે પરંતુ તેના થી સંબંધ જીવનભર માટે તૂટી જાય છે

                    ****************************

અવિશ્વાસ


દરેક વ્યક્તિ તમારા પર વિશ્વાસ મુકતો જ હોય છે,
પણ જ્યારે એ તમારા પર અવિશ્વાસ કરે ત્યારે એન માટે ના જવાબદાર ખુદ તમે જ હોવ છો….

                    ****************************

વિશ્વાસ


જેના પર વિશ્વાસ નથી આખી દુનિયાનો ,પણ તેના પર વિશ્વાસ છે મારો, મને પાકકૂ ખબર છે કે આ વિશ્વાસ મારો એના પરથી તૂટશે નહિ ,અને એના વગર મારી જિંદગી છૂટશે નહિ.

                   ***************************

વિશ્વાસ…


ઈશ્વર જયારે તમારી મુશ્કેલી દુર કરે ત્યારે તમે તેની શક્તિ માં વિશ્વાસ મુકો છો, પણ જયારે તે દુર ના કરે તો સમજીલો કે એને તમારી શક્તિ પર વિશ્વાસ છે..


                  *****************************





No comments:

Post a Comment